જામનગર માં આશાવર્કર અને આંગણવાડી બહેનો દ્વારા પોતાની પડતર માંગણી ના મુદ્દે ધરણા પ્રદર્શન કરાયું

0
1030

જામનગર માં આશાવર્કર અને આંગણવાડી બહેનો દ્વારા પોતાની પડતર માંગણી ના મુદ્દે ધરણા પ્રદર્શન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫, ફેબ્રુઆરી ૨૬ જામનગર માં આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા આજે કલેક્ટર કચેરી માં પોતાની વિવિધ પડતર માંગણીઓ ને વાચા આપવા માટે ધરણા પ્રદર્શન કર્યા પછી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવા માં આવ્યું હતું.આજે દેશભરમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા આક્રોશ રેલી , ધરણા , પ્રદર્શન વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું. આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવે છે પરંતુ તેમને પૂરતું મહેનતાણું મળતું નથી.અને કામગીરી ઓનલાઈન કરવાની હોય છે પરંતુ તે માટે મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યો નથી. આ સહિતના તમામ મુદ્દા ને વાચા આપવા માટે આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગરમાં પણ ગુજરાત રાજ્ય આશાવર્કર કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજ્દૂર સંઘ દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણી ઓ રજૂ કરી હતી.