જામનગરના રાંદલનગર ભોડેશ્વર સોસાયટીમાં ગજાનનનું આગમન આશાપુરા ગ્રુપ દ્વારા મહાઆરતી

0
2089

છોટીકાશી’ માં ભગવાન ગજાનનનું આગમન : પંડાલો સજ્જ – ભક્તોમાં થનગનગાટ

  • રાંદલનગર ભોડેશ્વર સોસાયટીમાં આશાપુરા મિત્ર મંડળ દ્વારા મહાઆરતી – પ્રસાદનું આયોજન

દેશ દેવી ન્યૂઝ તા. ૨૭ ઓગસ્ટ ૨૫ જામનગર ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં ભાદરવા મહિનાની ચર્તુર્થીથી અનંત ચતુદર્શી સુધી સાર્વજનિક ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાતો હોય છે. આજથી ૧૦ દિવસીય ગણેશોત્સવનો આરંભ થવા જઇ રહ્યા છે ત્યારે નગરનાંં પરંપરાગત અને પ્રખ્યાત સાર્વજનિક સાર્વજનિક ગણેશ મંડલોનાં પંડાલો સજ્જ થઇ ગયા છે. ગતરાતે ગણેશ ભગવાનની મૂર્તિઓ વાજતે ગાજતે લાવવામાં આવી હતી અને આજે સવારથી શુભમુર્હૂતમાં સ્થાપના કરવામાં આવી રહી છે. ભક્તો પણ ભગવાન ગજાનને આવકારવા થનગની રહ્યા છે. આજ સાંજથી જ મહાઆરતી – પ્રસાદ સહિતનાં આયોજનો કરવામાં આવ્યા છે.