જામનગરના મોટા થાવરીયામાં પિતરાઇ બહેને કરેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં ભાઈના આગોતરા જામીન મંજૂર

0
1206

પીતરાઈ બહેને પોતાની ખેતીની જમીનમાં ભાઈએ કરેલ દબાણ અંગે કરવામાં આવેલ લેન્ડગ્રેબીંગની ફરીયાદમાં આગોતરા જામીન મંજુર કરતી સ્પે.સેશન્સ કોર્ટ

  • પટેલ પરીવારની જમીનનો વિવાદમાં આરોપીને આગોતરા જામીન

  • આરોપી સામે પ્રથમદર્શનીય રીતે પણ ગુનો બનતો ન હોવાનું તારણ

  • ભાયુભાગની જમીનના કેશમાં ફરીયાદીએ આરોપી ઉપર દબાણ લાવવા ફરીયાદ કરેલ હોવાનું તારણ

દેશ દેવી ન્યુઝ તા. ૧૨ માર્ચ ૨૬ આ કેશની હકિકત એવી છે કે; ફરીયાદી શોભનાબેન હીતેનભાઈ પટેલે જામનગર પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ જાહેર કરેલ કે, ધીરૂભાઈ ચોવટીયા, જેન્તીભાઈ ચોવટીયા, રતીલાલ ચોવટીયા વાળાઓએ તેમના પિતરાઈ ભાઈઓ થાય છે અને તેઓએ કરીયાદીની મોટા થાવરીયા ગામે આવેલ જમીન કે, જે વડીલોપાર્જીત છે, તેમાં જુના મકાનો અને ઓરડીયો આવેલ છે અને તેમાં તમામ આરોપીઓએ કબજો કરી લઈ અને ગેરકાયદેસર દબાણ કરેલ છે અને આ જમીન ફરીયાદીએ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ છે, અને આ જમીનમાં ગેરકાયદેસર કબાલ અને રસ્તાઓ આરોપીઓએ કરી લીધેલ છે.તેવી ફરિયાદ દાખલ કરવામાં આવેલ, આ ફરીયાદ દાખલ થતાં આરોપી ધીરૂભાઈ દેવશીભાઈ ચોવટીયાએ નામ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને તેમાં ફરીયાદી તરફે વાંધાઓ લેવામાં આવેલ કે, ફરીયાદીએ આ જમીન વેંચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ છે, જે વેચાણ દસ્તાવેજમાં આ જમીન અને જુના તમામ બાંધકામ સહીતનો હીસ્સો ફરીયાદીએ વેંચાણથી ખરીદ કરેલ છે. તથા સરકાર પક્ષે અને પોલીસે વાંધાઓ લીધેલ કે, આ જમીન માપણી પણ હાલના આરોપીઓ ભદ ઈરાદાથી કરવા દીધેલ નહી, તેથી તેમને પ્રથમદર્શનીય રીતે તેમનો બદઈરાદો જાહેર કરેલ છે.આ જમીનમાં ગેરકાયદેસર દબાય છે, તેમછતાં તેમને આ દબાણ જાળવી રાખેલ છે, તે પણ તેમનો બદઈરાદો જાહેર થાય છે. ફરીયાદી અને આરોપીઓ એક જ પરીવારના વ્યક્તિઓ છે અને જો આરોપીએ આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવશે તો તેઓ સાથી પુરાવા સાથે ચેડા કરશે અને હજુ ફરીયાદ જાહેર થયેલ છે, કરીયાદ સમયે જ આગોતરા જામીન આપવામાં આવશે તો કેશને અસર કરશે, અને આરોપીને કાયદાની કોઈ બીક રહેશે નહીં, આ પ્રકારના આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ફરીયાદીએ જમીન વર્ષ ૨૦૨૩માં વેંચાલ દસ્તાવેજથી ખરીદ કરેલ છે, અને સીવીલ તકરારને ફોજદારી સ્વરૂપ આપવા ખોટી ફરીયાદ કરેલ છે અને તેના સામે તપાસ કરનાર દ્વારા આરોપીઓને પરપકડ કરવા જરૂરી હોય, તેવું સોગંદનામું કરી અને જામીન અરજી સામે સખત વાંધાઓ લેવામાં આવેલ અને મુળ ફરિયાદ દ્વારા પણ પ્રાઈવેટ વકીલ રોકી અને જામીન અરજી સામે વાંધાઓ લેવામાં આવેલ. તેના સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, આ કામના ફરીયાદીએ દબાણ લાવવાના એકમાત્ર આશયથી આ ફરીયાદ જાહેર કરેલ હોવાનું જણાય આવે છે. તો આ પ્રકારની ફરીયાદમાં આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ, આમ નામ અદાલતે તમામ હકિક્તો રેકર્ડ અને દલીલો ધ્યાને લઈ અને આરોપી સામે કોઈ પથમ દર્શનીય કેશ પણ બનતો નથી તેવા કારણ સાથે અને ફરીયાદીએ પોતાના સીવીલ કેશમાં હાથો બનાવવા માટે ફરીયાદ કરેલ હોવાના અનુમાન સાથે જામીન અરજી મંજુર કરી અને આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરેલ, આ કેશમાં આરોપી ધીરૂભાઈ દેવશીભાઈ ચોવટીયા તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરશ કે, પટેલ રોકાયેલા હતા.