જામનગર ના ખિલોસ ગામેથી ૧૨ જેટલા ગૌવંશને કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું

0
3332

જામનગર તાલુકાના ખિલોસ ગામમાંથી ૧૨ જેટલા ગૌવંશ (ખૂટિયા) ને વાહનમાં ભરીને માળીયા કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું

  • પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે મોડી રાત્રે વોચ ગોઠવી એક કસાઈ શખ્સ ને ઝડપી લીધો : અન્ય બે ને ફરારી જાહેર કરાયા

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૨૬ સપ્ટેમ્બર ૨૫ જામનગર ના ગ્રામ્ય પંથક માંથી નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ગૌવંશ પ્રકારના ૧૨ જેટલા પશુઓ (ખૂટિયા)ને એક વાહનમાંથી ખિચોખીચ ભરીને માળીયા તરફ કતલખાને લઈ જવાનું કારસ્તાન પ્રકાશમાં આવતાં ગૌપ્રેમીઓમાં કચવાટ જોવા મળ્યો છે. પોલીસે એક કસાઇ શખ્સને ઝડપી લીધો છે, જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને ફરારી જાહેર કરી મૂંગા પશુ અને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ.એન. એમ. શેખ અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના ખીલોસ ગામ અને આસપાસના વિસ્તારમાંથી ગૌવંશ પ્રજાતિના ૧૨ જેટલા ખૂંટિયાઓને વાહનમાં ભરીને તેને કચ્છના માળિયા તરફ કતલખાને મોકલવામાં આવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના આધારે ગઈકાલે મોડી રાત્રે પોલીસ વોચ ગોઠવી હતી જે દરમિયાન ખિલોસ બસન પાસે એક આઇસર ટ્રક જે ને પસાર થતાં પોલીસ દ્વારા તેની તલાસી લેવામાં આવી હતી, જે તલાસી દરન્યાન મીની ટ્રક ની અંદર બાર જેટલા પશુઓને પણ પ્રકારના ખોરાક પાણી આપ્યા વિના બાંધીને ભરવામાં આવ્યા હતા.જેથી પોલીસે તમામ મૂંગા પશુઓને નીચે ઉતારી લઇ બચાવી લીધા હતા અને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. જ્યારે વાહન ના ચાલક અનેક પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને તેની રહી છે આ પ્રકરણમાં મૂંગા પશુઓને ભરીને માળીયા પંથકમાં પહોંચાડવાના કારસ્તાનમાં અન્ય બે વ્યક્તિઓ સડોવાયેલી હોવાથી તે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.