જામનગર બ્રાસના વેપારીને પોલીસ , ઇડીના નામે ગંભીર ગુન્હામાં ફસાવી દેવાના સાઇબર ઠગાઈ કેસમાં આરોપીઓ જામીન મુક્ત

0
2724

જામનગર બ્રાસપાર્ટના વેપારીનું બ્લોક થયેલ ખાતું ખોલાવી આપવા માટે આજીવન કેદની સજાના ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવી લેવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓને જામીન મુકત કરતી જામનગરની સેશન્સ કોર્ટ

  • બ્રાસના વેપારીને ઈડી , મનીલોન્ડરીંગના કેસમાં ફસાવી દેવાની તેમજ પોલીસ અને બેંકમાં લાગવગ હોવાની ધમકીઓ આપી અને પૈસા પડાવવાના કેસમાં આરોપીઓને જામીન મુકત કરતી કોર્ટ

  • આરોપીઓ સામે સાઈબર કાઈમ અંતર્ગત ફરીયાદ થઈ છે.

દેશ દેવી ન્યુઝ તા. ૭ નવેમ્બર ૨૫ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અને બ્રાસપાર્ટના ધંધા સાથે સંકળાયેલા ચેતનભાઈ કપુરીયા મહારાષ્ટ્ર ખાતે “પ્રગતી એન્ટર પ્રાઈઝ”ના નામની પેઢી ધરાવતા હોય અને તેઓનું કરન્ટ ખાતું એકસીસ બેંક નાલાસોપાલા મહારાષ્ટ્ર ખાતે આવેલ હોય તેમાં તેઓના વેપારી વ્યવહારના નાણાની લેવડ દેવડ થતી હોય તે લેવડ દેવડમાં કુલ ખાતામાં ૧ કરોડ ૪૪ લાખ જેવી રકમ જમાં થયેલી હતી, તે ખાતામાં ષડયંત્રના ભાગરૂપે રાહુલ નામના વ્યક્તિના ખાતામાંથી રૂા.૩ હજાર જમાં કરાવી સાઈબર ક્રાઈમ સાઈબર પોલીસ સ્ટેશન મુંબઈમાં ફરીયાદ કરી અને આરોપીઓએ ફરીયાદીનું ખાતું બ્લોક કરાવી નાંખ્યું હતુંઆથી ફરીયાદીને જાણ થતાં તેઓએ બ્રાંચ મેનેજરનો સંપર્ક કરતા બ્રાંચ મેનેજરે યોગ્ય જવાબ ન આપેલ, ત્યારબાદ તેમને વોટસએપ પરથી આરોપી દર્શીત કિશોરભાઈએ ફરીયાદીને વરચ્યુઅલ નંબરથી ફોન, કરી અને પોતાની ઓળખાણ આપેલ કે દર્શીત કિશોરભાઈ કાગદડા બોલીએ છીએ અને તમારૂ ખાતું બંધ થઈ ગયેલ છે, જો તમારે ખોલાવવું હોય તો અમારે મુંબઈ ખાતે મોટા મોટા પોલીસ અધિકારીઓ સાથે સંબંધો છે અને બેંકમાં પણ સંબંધો છે, તમે પૈસા આપશો તો તમારૂ ખાતું તાત્કાલીક ખોલાવી આપીશું, તેમ વાત કરેલ હોય પરંતુ ફરીયાદીને વિશ્વાસ ન આવતા તેમને કોઈ યોગ્ય જવાબ ન આપતા, આરોપી દર્શીત ઉશ્કેરાઈ ગયેલ અને તમારે પૈસાતો આપવા જ પડશે નહી તો તમારા ખાતામાં દોઢ કરોડ જેટલી રકમ જમાં છે, તમારા સામે ઈડી અને મની લોન્ડરીંગના કેશો કરી અને તમને ફસાવી દઈશું તેવી ધમકી આપતા, ફરીયાદીએ તેમના સામે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા, આરોપી દર્શીત કીશોર કાગદરાની અટક કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન અન્ય આરોપીઓની સંડોવણી ખુલતા અને આ સમગ્ર ષડયંત્રનો પરદા ફાશ થતાં આરોપી દુર્ગેશ પંડયા ત્થા યોગેશ જોષીની પણ અટક કરવામાં આવેલ, ત્યારબાદ ત્રણેય આરોપીઓ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતીસરકાર તરફે તપાસ કરનાર પોલીસ તરફે વાંધાઓ રજુ કરી અને દલીલો કરવામાં આવેલ કે, આરોપીઓએ ગેરકાયદેસર રીતે પડયંત્ર કરી અને ફરીયાદીનું ખાતું ફીઝ કરાવેલ હોય, આરોપીઓએ કોઈ ઈન્ટરનેશનલ નંબર મેળવી અને તેમને ટ્રેશ ન થાય તે રીતે કોલ કરેલ હોય, અને આ રીતે મોટું કૌભાંડ કરી અને યેનકેન રીતે આ રીતે ખાતામાં ફીઝ કરાવી અને તેમને ખોટા કેશમાં સંડોવી દેવાની ધમકીઓ આપી અને પોલીસ અને ઉચ્ચ લાગવગ હોવાનો ડર બતાવી અને તોડ કરતા હોય, જેથી આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, જેમાં આરોપીઓ પક્ષે દલીલો થયેલ કે, ફરીયાદીની પેઢીમાં આટલી મોટી રકમ જમાં હોવાછતાં ફરીયાદીએ તેની કોઈ દરકાર કરેલ નથી અને ખાતું અનફીઝ કરાવવા મુંબઈ મુકામે ગયેલ નથી જેથી ફરીયાદી પણ કંઈક છુપાવતા હોય તેવું જણાય આવે છે અને આ આરોપીઓને ખોટા ગુન્હામાં સંડોવી દીધેલ છે. તે તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપીઓ તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી દર્શીત કિશોરભાઈ કાગદડા તથા દુર્ગેશ પંડયા , યોગેશ જોષી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ મુછડીયા, ત્થા કરણ પટેલ રોકાયેલા છે.