જામનગરના કનસુમરા માં બહુચર્ચિત ટ્રસ્ટના ગોલમાલ પ્રકરણમાં ચાર્જશીટ પહેલા આરોપી જામીન મુક્ત

0
3631

જામનગરના કનસુમરા ગામના ટ્રસ્ટમાં કરોડોની નાણાકીય ગોલમાલના કેસમાં એક આરોપીની ચાર્જશીટ પહેલા વડી અદાલત દ્વારા જામીન મુક્તિ

  • તમામ આરોપીઓ પૈકી એક જ આરોપી ને જામીન મુક્ત કરવા અદાલત નો આદેશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૯ ડિસેમ્બર ૨૫ આ કેસની વિગત એવી છે કે જામનગર નજીક કનસુમરા ગામ ખાતે ગ્રામ સમસ્તની માલીકીની અવેડીયા તરીકે ઓળખાતી ૨૧ એકર ત્રણ દાયકા પૂર્વે સંપાદનમાં જતાં જેતે સમય ટ્રસ્ટનાં ખાતામાં ૨૨ કરોડ જેટલી માતબર રકમ ટ્રસ્ટનાં ખાતામાં જમા થયેલ તે સમયે ગ્રામજનો દ્વારા ટ્રસ્ટની બોડીની રચના પણ કરવામાં આવેલ લાંબા સમય સુધી આ વહીવટ પારદર્શક રીતે આપેલ. છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કરોડોની રકમ અન્ય ટ્રસ્ટોમા ડોનેટ કરી દેવામાં આવેલ તથા અલગ અલગ ખર્ચાઓ બતાવી કરોડોની રકમ વાપરી નાખવામાં આવતા કનસુમરા ગામના રહેવાસી ઈરફાનભાઈ ઈસ્માઈલ ખીરાએ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ વિરુધ્ધ લેખિતમાં ફરિયાદ, જામનગરના પંચ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપી હતીતે અરજીના આધારે પોલીસ દ્વારા ટ્રસ્ટના જ એક ટ્રસ્ટી કાસમભાઈ દોસમામદ ખીરા ની ફરિયાદ ના આધારે પોલીસ દ્વારા આરોપીઓ વિરુધ્ધ પંચ “બી” ડીવિઝન પોલીસ સ્ટેશનમાં (૧)અકરમભાઈ સલીમભાઈ ખીરા (૨)અરકમભાઈ ઈસુબભાઈ ખીરા (૩)અલતાફભાઈ જૂસબભાઈ ખીરા (૪)આમદભાઈ મામદભાઈ ખીરા (૫)ઈકબાલભાઈ હારૂનભાઈ ખીરા (૬)ઈસ્માઈલભાઈ હાસમભાઇ ખીરા (૭)વાલીમામદભાઈ દોસમામદભાઈ ખીરા (૮) હુશેનભાઈ સુલ્તાનભાઈ ખીરા (૯) હનીફભાઈ અલારખાભાઈ ખીરા વિગેરનાઓએ ૧૭ કરોડ ઉપરાંતની રકમ પોતાના અંગત ફાયદા સારું કૌભાંડ કરી ઓળવી ગયેલ હોવાની ફરિયાદ નોંધી લીધેલ જે આઈ.પી.સી. કલમ ૪૦૬ ,૪૦૯ વિગેરે મુજબનો ગુનો નોંધી લેવામાં આવેલ જે ગુનાની તપાસના કામે પોલીસ દ્વારા આરોપી સુરેશભાઈ ઉર્ફે સુરશ મિસ્ત્રી ધીરજલાલ પિસાવાડીયાની ધરપકડ કરવામાં આવી હતી , આરોપી દ્વારા તેમના વકીલ હસમુખ એમ. મોલીયા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જામીન ઉપર મુક્ત થવા જમીન અરજી કરતા વડી અદાલતના ન્યાયમૂર્તિશ્રી નીખીલ એસ. કેરીયલ દ્વારા આરોપી સુરેશભાઈ ઉર્ફે સુરેશ મિસ્ત્રી ધીરજલાલ પિસાવાડીયાને ૧,૦૦,૦૦૦/- ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.આ કેસમાં આરોપી તરફે વકીલ કેતન પી. આશર, હસમુખ એમ.મોલીયા, કૌશિક આર.ગધેથરીયા, વૈભવ એચ. પ્રાગડા તથા ટ્રેઈની ભાર્ગવ સી. મોલીયા તથા ગુજરાત હાઈ કોર્ટમાં પ્રેમલભાઈ રાચ્છ રોકાયેલ હતા.