જામનગરના બહુચર્ચિત પોક્સો કેસમાં આરોપી નો નિર્દોષ છુટકારો

0
2002

જામનગર : ફરીયાદ પક્ષ કેશ શંકાથી પર સાબીત કરી શકેલ નથી : આરોપી નો પોકસો કેસમાં નિર્દોષ છૂટકારો

  • કોર્ટના લાંબા કાનૂની જંગમાં ફરીયાદ પક્ષ દ્વારા ૧૭ મૈાખીક પુરાવાઓ અને ૪૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરાયા : એડવોકેટ :- અશોક જોષી

દેશ દેવી ન્યુઝ તા. ૧૯ ફેબ્રુઆરી ૨૬ આ કેશની ટુકમાં હકીકત એવી છે કે, આરોપી ભાવેશ ઉર્ફે દાઢી ઉર્ફે બીટુ રશીકભાઈ તંબોલીયા એ ફરીયાદીની સગીર વયની દીકરી કે તે સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં ભોગબનનાર ની સગીર વયની અવસ્થાનો લાભલઈ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભોગબનનારનું અપહરણ કે અપહરણ કરી લઈ જઈ ભોગ બનનાર સાથે તેણીની મરજી અને ઈરછા વગર અવાર નવાર શરીર શંબંધ બાંધી બળાત્કાર કરી ગુન્હો કરવા અંગેની ફરીયાદ કરતા જામનગર સીટી- સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ ૩૬૩ ,૩૬૬ ,૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટ ની કલમ ૪ તથા ૬ મુજબનો ગુનો દાખલ થયો હતોઆરોપીની ધરપકડ કરવામાં આવેલ અને તપાસના અંતે ચાર્જસીટ ફાઈલ કરવામાં આવેલ જે કેસ જામનગર ની સ્પેશયલ પોકસો કોર્ટ માં ચાલવા પર આવતા ફરીયાદ પક્ષ દ્વારા ૧૭ મૈાખીક પુરાવાઓ તથા ૪૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી અને ફરીયાદ પક્ષ દ્વારા પોતાનો કેશ સાબીત કરેલ છે અને મહતમ સજાની માંગણી સરકાર તરફે કરવામાં આવેલઆ કામમાં આરોપી ભાવેશ ઉર્ફે દાઢી ઉર્ફે બીટુ રશીકભાઈ તંબોલીયા ના વકીલ અશોક એચ.જોશી દ્વારા ભોગબનનાર નો પુરાવો માનવાલાયક નથી તેમજ ફરીયાદ પક્ષ ફરીયાદની હકીકતો તથા કેશ નીશંક પણ સાબીત કરી શકેલ નથી જેથી આરોપીને નિર્દોષ છોડી મુકવા રજુઆત કરવામાં આવેલ સરકાર તરફે તથા આરોપી પક્ષે ની દલીલો સાંભળી જામનગર સ્પેશ્યલ પોકસો કોર્ટ દ્વારા ફરીયાદ પક્ષ પોતાનો કેશ નિશંક પણે સાબિત કરી શકેલ નથી તેવુ ઠેરવી આરોપી ભાવેશ ઉર્ફે દાઢી ઉર્ફે બીટુ રશીકભાઈ તંબોલીયા ને નીર્દોષ ઠેરવી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે. આ કામે આરોપી તરફે સિનિયર એડવોકેટ અશોક એચ. જોશી રોકાયેલ હતા.