જામનગરના ચકચારી સગીરા બળાત્કાર કેસ માં આરોપીઓને છોડી મૂકવા આદેશ

0
4415

જામનગર માં ૧૬ વર્ષની સગીરાને બાવળના કાંટાની જાળમાં લઈ જઈ અને તેમના સાથે બળાત્કાર કરી અને વિડીયો શુંટીંગ કરી વાયરલ કરવાના કેસમાં આરોપીઓનો છુટકારો

  • બળાત્કારનો વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવેલ હતો

  • વિડીયો શુટીંગ કરાયું , વાયરલ થયું , કોને  કર્યુ છે અને ક્યા મોબાઇલમાં કરાયું છે તેના પુરાવા નથી : વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યૂઝ તા. ૧૭ જૂન ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી દ્વારા એવી ફરીયાદ દાખલ કરવામાં આવેલ કે, તેમની ૧૬ વર્ષની સગીર દિકરી જયારે કરીયાણું લેવા માટે ઘરેથી બહાર ગયેલ ત્યારે આરોપી નં.૧ વાળાએ તેમને લલચાવી અને ફોસલાવી અને તેમના સાથે લઈ ગયેલ અને તેમને બચુનગર પાછળ કાંટાની જાળમાં લઈ જઈ અને તેમના કપડા ઉતારી અને તેમના સાથે શરીર સંબંધ બાંધેલ અને આ દરમ્યાન આરોપી નં.૨ વાળાઓએ આ તમામ જે બનાવ બનેલ તેનું વિડીયો શુટીંગ કરેલ, અને ત્યારબાદ ભોગબનનારને તે કાંટાની જાળીમાં જ મુકી અને આરોપીઓ નાશી ભાગી ગયા હતા.

આરોપી નં.૨ વાળાઓએ આ વીડીયો શુટીગ વાયરલ કરતા ભોગબનનારના પિતાને આ બાબતની જાણ થતાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ, જે ફરીયાદ જાહેર થતાની સાથે આરોપીઓને અટક કરવામાં આવેલ અને જેલ હવાલે કરવામાં આવેલ અને કેશ ચાલી ગયેલ, આ કેશ ચાલતા નામ.અદાલતમાં ભોગબનનાર, ડોકટર અને તમામ સાહેદ સાક્ષીઓની તપાસ કરવામાં આવેલ, જે તમામ સાક્ષી પુરાવાઓ લીધા બાદ કેશ દલીલ ઉપર આવતા નામ.અદાલતમાં સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ભોગબનનારની ઉમર ૧૬ વર્ષની છે અને આરોપીઓ તે જ ઠેકાણે વસવાટ કરતા હોય, ભોગબનનારની ઉમર અને તેમના પરીવારથી વાકેફ હોવા છતાં તેમની કુમળી ઉમરનો ગેરલાભ લઈ અને ભોગબનનાર જયારે કરીયાણું લેવા માટે ગયા હતા

ત્યારે તેમને પકડી લલચાવી ફોસલાવી અને તેમને કાંટાની જાળીમાં લઈ ગયા અને તેમના સાથે આરોપી નં.૧ વાળાઓએ બળાત્કાર હેવાનીયાતથી કરેલ અને આ બનાવ બનતા સમયે આરોપી નં.ર વાળાઓએ વીડીયો શુટીંગ કરેલ અને તે વીડીયો શુટીંગ વાયરલ કરવામાં આવેલ છે, આ બનાવમાં ભોગબનનારને બેસુદ હાલતમાં મુકી અને આરોપીઓ નાશી ભાગી ગયા હતા તે પણ રેકર્ડ ઉપર આવેલ છે, આ કૃત્ય ખુબજ હીન્યસ પ્રકારનું કૃત્ય છે, અને સગીરાએ જજ સાહેબ સમક્ષ પણ જે નિવેદન આપેલ છે અને ડોક્ટર સમક્ષ જે નિવેદન આપેલ છે, તે તમામ નિવેદનો સરખા જ છે, અને તેમાં કોઈ જ ફેરફાર નથી જેથી તમામ પુરાવાઓ એકબીજાને સાંકળે છે, જેથી આરોપીઓને કાયદામાં ફરમાવેલ આજીવન કેદની પુરેપુરી સજા કરવી જોઈએ, જેની સામે આરોપી નં.રના પક્ષે દલીલો કરવામાં આવેલ કે, જે વીડીયો શુટીંગ કરવામાં આવેલ છે, તે કયાં મોબાઈલમાં શુટીંગ કરવામાં આવેલ છે, કોના દ્વારા વાયરલ કરવામાં આવેલ છે, અને કોના દ્વારા શુટીંગ કરવામાં આવેલ છે, તે ક્યાંય સમગ્ર ટ્રાયલ દરમ્યાન સચોટ પુરાવો કે, જે માની શકાય તેવો રેકર્ડ ઉપર આવેલ નથી, જેથી આરોપીએ આ કૃત્ય કરેલ છે, તેવું માની શકાય નહી અને જે જે જુબાનીઓ લેવામાં આવેલ છે, તેમાં માત્ર વિડીયો શુટીંગ થયું છે અને વાયરલ થયું છે આ સીવાય કોના દ્વારા કયાં અને કેવી રીતે અને ક્યાં મોબાઈલમાં થયેલ છે તે અંગેનો કોઈ જ પુરાવો આવેલ ન હોય, જેથી આરોપીને સજા થઈ શકે નહીં, આમ નામ.અદાલત દ્વારા સમગ્ર પુરાવો ધ્યાને લઈ અને આરોપીઓ તરફે થયેલ દલીલો ધ્યાને લઈ અને આરોપીને શંકાનો લાભ આપી અને છોડી મુકવાનો હુકમ કરેલ , આ કેશમાં આરોપીઓ તરફે વકીલ  રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.