જામનગરમાં NDPS ના ગુન્હામાં જામીન મેળવવા સગીરના ખોટા પ્રમાણપત્ર કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો

0
1723

જામનગર NDPS ના ગુન્હામાં પકડાયેલા આરોપીની સગીર તરીકેના ખોટા પુરાવા બનાવી અને નામ.અદાલતમાંથી જામીન લેવડાવવા માટે ખોટા જન્મના પ્રમાણપત્ર બનાવવાના કેશમાં આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવી નામદાર અદાલત

  • નામ.અદાલત દ્વારા આરોપી સામે ખોટા પુરાવા રજુ કરવા અંગેના કેશ દાખલ કરવા માટે હુકમ કરવામાં આવેલ

  • આરોપીના વતનમાં જઈ તપાસ કરતા નામદાર અદાલતમાં પુરાવાઓ ખોટા પુરાવા રજુ કરેલ હોવાનો ઘટકસ્ફોટ થતાં નામદાર અદાલતે તપાસનો હુકમ કરેલ

દેશ દેવી ન્યુઝ જામનગર  તા. ૧૦ જાન્યુઆરી ૨૬ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનના ડ્રગ્સના ગુન્હામાં પકડાયેલ આરોપી સાજીદને જેલ હવાલે કરવામાં આવેલ, તેમની જામીન અરજી કરવાની હોય, તેમને છોડાવવા માટે તેઓ સગીર હોય તેવા પુરાવા નામ.અદાલતમાં જામીન અરજીના કામે રજુ કરવા માટે તેમના પીતાએ આરોપી અનીલકુમાર રામગોપાલ શુકલા રે. રાયબરેલી વાળાઓનો સંપર્ક કરેલ અને આ આરોપીએ સાજીદ સગીર હોય તેવા ખોટા પુરાવા રાયબરેલી જીલ્લા ચીકીત્સાલય અને પીન્સ ઇન્ટરમીડીયેટર કોલેજ રાયબરેલીના આરોપી સગીર હોય તેવા બનાવી આપેલ, અને આરોપી સાજીદના પીતાએ નામ.અદાલતમાં જામીન અરજીમાં રજુ કરેલ, અને નામ.અદાલતે આરોપી સગીર હોય, તેથી તેમના સામે તે રીતે કાર્યવાહીઓ આ ખોટા પુરાવા ધ્યાને લઈ અને જામીન મુક્ત કરેલ, ત્યારબાદ નામ.અદાલતના ધ્યાને આવતા આ રજુ થયેલ પુરાવાઓની તપાસ કરવા માટે જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના તપાસ કરનારને હુકમ કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન ધ્યાનમાં આવેલ કે, નામ.અદાલતમાં રજુ થયેલ તમામ પુરાવાઓ ખોટા અને ઉભા કરવામાં આવેલ છે અને ખોટા છે,તેથી નામ.અદાલતે જવાબદારો સામે ધોરણસર ગુન્હો નોંધવા માટે હુકમ કરતા જામનગર સીટી બી ડીવીઝન પોલીસે આરોપી અનીલકુમાર રામગોપાલ શુકલા સામે ગુન્હો નોંધી અને ચાર્જશીટ કરેલ, આ સમગ્ર કેશમાં સાક્ષીઓ ફરીયાદી કે જેઓ પોલીસ કર્મચારી હોય, ત્યા સાહેદો કે, જેઓ પોલીસ કર્મચારીઓ અને નોટરી વકીલ તેમજ જામીન અરજી કરનાર વકીલ તેમજ જીલ્લા ચીકીત્સાલય રાયબરેલીના કર્મચારીઓ ડોકટર શ્રીઓ તેમજ તપાસ કરનાર પોલીસની જુબાની લેવામાં આવેલ અને તે તમામ જુબાની ફરીયાદ અનુરૂપ નામ.અદાલતમાં અપાયેલ, ત્યારબાદ કેશ દલીલ ઉપર આવતા સરકાર તરફે દલીલો કરવામાં આવેલ કે, આ ખુબજ મોટો ગુન્હો છે, તેમાં નામે.અદાલત સાથે ફોડ કરવામાં આવેલ છે અને નામ.અદાલતને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય રેકર્ડ ઉપર કરવામાં આવેલ છે.અને તે રેકર્ડ નામ અદાલતમાં રજુ થયેલ છે અને સાબીત થયેલ છે તો આરોપીને કાયદામાં જણાવેલ પુરેપુરી સજા કરી અને રકમ ભરવાનો પણ હુકમ કરી અને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ, જેથી આ રીતે કોઈ કૃત્ય કરે નહી, તેની સામે આરોપી પક્ષે રજુઆતો દલીલો થયેલ કે, સૌ-પ્રથમ તો ટ્રાયલ દરમ્યાન રાયબરેલી ખાતે તપાસ કરનાર કે, ફરીયાદી કે, સાહેદ કે પોલીસ કોઈ જ ગયેલ હોય અને તપાસ કરેલ છે તેવો કોઈ જ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી, વધુમાં જે પુરાવો રેકર્ડ ઉપર આવેલ છે, તે પુરાવો હાલના આરોપીએ બનાવેલ છે, તેઓએ ઉભો કરેલ છે, તેવું પણ ક્યાંય રેકર્ડમાં આવેલ નથી, ચોકકસથી આરોપી જે નામ અદાલત સાથે આ રીતે કૃત્ય કરે તેને મહતમ સજા થવી જોઈએ, પરંતુ આ કેશમાં આ આરોપી સામે કોઈ જ પુરાવો એવો આવેલ નથી કે, તેમને ખોટા પ્રમાણપત્રો બનાવેલ હોય, તેમને ખોટા પ્રમાણપત્ર વકીલને આપેલ હોય, અને નોટરીને આપેલ હોય, તેવો લેશ માત્ર પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી, તો કાયદાએ એવું પ્રસ્થાપીત કરવામાં આવેલ છે કે, ૧૦૦ ગુનેગારો છુટી જશે તો ચાલશે પરંતુ એક નિદોર્ષને સજા થવી જોઈએ નહીં, તે સિધ્ધાંત અહિયા લાગું પડે છે આ આરોપી નિદોર્ષ છે અને ફરીયાદીએ પોતાનો કેશ આરોપી સામેનો શંકારહીત પુરવાર કરેલ નથી, તો તેમને નિદોર્ષ ઠરાવી છોડી મુકવા જોઈએ, આમ નામ.અદાલતે તમામ રેકર્ડ દલીલો ધ્યાને લઈ અને આરોપી અનીલકુમાર રામગોપાલ શુકલાને આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ , રજનીકાંત આર. નાખવા , નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.