જામજોધપુર ટાઉન માંથી એક વિદ્યાર્થીની પોતાના ઘેરથી એકાએક લાપતા

0
2071

જામજોધપુર ટાઉન માંથી એક વિદ્યાર્થીની પોતાના ઘેરથી એકાએક લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦, જુલાઇ ૨૫ જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉન માં રહેતી ક્રિષ્નાબેન દિવ્યેશભાઈ ભલસોડ નામની ૨૦ વર્ષની વિદ્યાર્થીની કે જે પોતે ભગવતી પરા મેઇન રોડ પર રહે છે, અને પરમદીને પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી. પરિવારજનો દ્વારા તેણીની અનેક સ્થળે શોધખોળ કરી હતી. અને સગા સંબંધીઓ વગેરે ને ત્યાં તપાસ કરી લીધા બાદ પણ તેણેનો કોઈ પત્તો નહીં સાંપડયો ન હતો.

આખરે તેણી ના પિતા દિવ્યેશભાઈ વાલજીભાઈ ભલસોડ દ્વારા જામજોધપુર પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ગુમ નોંધ કરાવતાં જામજોધપુર પોલીસે તેણીની શોધખોળ હાથ ધરી છે.