જામનગરના વાઘેરવાડામાં એક બહેન પર છરી વડે હુમલો કરાયો : બીજી બહેનને મારકુટ કરી ધાકધમકી આપતાં ફીનાઈલ પીધું

0
5295

જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી બે બહેનો પર જૂની અદાવત ના કારણે પાડોશી એ હુમલો કર્યા ની પોલીસ ફરિયાદ

  • એક બહેન પર છરી વડે હુમલો કરાયો : બીજી બહેનને મારકુટ કરી ધાકધમકી આપતાં ફીનાઈલ પીધું : બંને બહેનો જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ નવેમ્બર ૨૫, જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી નૂરજહાબેન ઇમરાનભાઈ ભાયા નામની ૩૦ વર્ષની વાઘેર યુવતીને ગઈકાલે પોતાના ઘેર ફિનાઈલ પી લીધું હોવાથી તેણી ને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેની મોટીબેન મેમુનાબેન કે જેના ઉપર પોતાના મકાનમાં નીચે ના ભાગે રહેતા પોતાના જ માસીજી સાસુના દીકરા અશરફ અનવર ભાયા એ છરી વડે હુમલો કરી દીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.ફિનાઈલ પી લેનાર નૂરજહાંબેન તેમજ છરી વડે કજાગ્રસ્ત બનનાર તેની મોટી બહેન મેંમણાબેન બંનેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર નુરજહાંબેન ને આરોપી અસરફની માતા સાથે ઝઘડો થયો હતો, જેનું મન દુઃખ રાખીને અશરફ ગઈકાલે નૂરજહાબેનને માર મારતો હતો, જેથી તેણી એ પોતાની મોટી બહેન મેંમુના બેનને બોલાવી લીધી હતી. જે છોડાવવા માટે વચ્ચે પડતાં અશરફે મેમુનાબેન ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો, અને બંને બહેનોને જાનથી મારી નાખશે તેવી ધમકી આપતાં નૂરજહાં બેને ફિનાઈલ પી લીધું હતું. હાલ બંને બહેનો સારવાર હેઠળ છે. પોલીસ હુમલાખોર આરોપી અશરફ ભાયા ને શોધી રહી છે.