જામનગરના રામેશ્વરનગરમાં રહેતા એક રીક્ષા ચાલક પર જૂની અદાવત ના કારણે હુમલો : એક મહિલા સહિત ૪ સામે પોલીસ ફરિયાદ

0
3580

જામનગરમાં રામેશ્વરનગર માં રહેતા એક રીક્ષા ચાલક પર જૂની અદાવત ના કારણે હુમલો: એક મહિલા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૬, જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલક ઉપર જુના મનદુઃખ ના કારણે હુમલો કરાયો છે, જે મામલે એક મહિલા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા ધનરાજસિંહ નવલસિંહ પરમાર નામના ૨૫ વર્ષના યુવાનને ધંધા ખારના કારણે અગાઉ ઝઘડો થયો હતો, જેનું મનદુઃખ રાખીને રાજેન્દ્રસિંહ પરમાર સહિતના શખ્સોએ તકરાર કરીને હુમલો કરી દીધો હતો.જેને છરી અને લાકડાના ધોકા વડે ના હુમલામાં ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે અને ટાંકા લેવાયા છે. આ બનાવ મામલે વનરાજસિંહ નવલસિંહ પરમાર નામના રીક્ષા ચાલકે પોતાના ઉપર હુમલો કરવા અંગે રાજેન્દ્ર સિંહ પરમાર, દિવ્યરાજ સિંહ પરમાર, અર્જુનસિંહ પરમાર, અને ઇન્દુબા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. જે મામાલે પીએસઆઇ એસ.જી. કેશવાલા વધુ તપાસ ચલાવે છે.