લાલપુરમાં વાડી વિસ્તારમાં એક ખેડૂત બુઝુર્ગ ને પોતાની વાડીમાં પાણી ની ઈલેક્ટ્રીક મોટર ના વાયર માંથી વિજ આંચકો લાગતા અપમૃત્યુ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪,નવેમ્બર ૨૫ જામનગર જિલ્લાના લાલપુરમાં પાર્થ સોસાયટી વિસ્તારમાં રહેતા અને વાડી વિસ્તારમાં ખેતીવાડી ધરાવતા રમણીકભાઈ ધનજીભાઈ ઝુલાસણા નામના ૬૫ વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાની વાડીમાં પાણી વાળવા માટે ગયા હતા, ત્યાં પાણીની ઇલેક્ટ્રીક મોટર માટેના વાયરમાંથી તેઓને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ પ્રવીણભાઈ ધનજીભાઈ ઝુલાસણાએ પોલીસની જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોસ્ટેબલ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ખેડલડૂતના મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


