જામનગર કોલેજ જવાનું કહી ધ્રોળથી નીકળેલી ૧૯ વર્ષીય યુવતી લાપતા, પરિવારમાં ભારે ચિંતા

0
105806

જામનગરની મહિલા કોલેજમાં જવાનું કહી ધ્રોળ માં પોતાના ઘરેથી નીકળેલી ૧૯ વર્ષીય યુવતી લાપતા બની જતા પરિવારજનો ચિંતિત

  • ધ્રોલ તાલુકાના ખારવા ગામેથી ૧૧ સપ્ટેમ્બરે ઘરેથી નીકળી હતી; જામનગરની એ.કે. દોશી કોલેજ જવાનું કહીને ગયેલી રચનાબેનનો હજુ પત્તો નહીં

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ સપ્ટેમ્બર ૨૬, ધ્રોલ તાલુકાના ખારવા ગામેથી જામનગરની કોલેજમાં જવાનું કહી ઘરેથી નીકળેલી ૧૯ વર્ષીય યુવતી ગુમ થતાં પરિવારજનોએ ધ્રોલ પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસે ગુમ નોંધ કરી યુવતીની શોધખોળ શરૂ કરી છે.પોલીસમાં જાહેર કરનાર પાર્વતીબેન જયંતીભાઈ રાઠોડે જણાવ્યું છે કે તેમની ૧૯ વર્ષીય પુત્રી રચનાબેન જયંતીભાઈ રાઠોડ કોલેજમાં અભ્યાસ કરે છે અને હાલ પરિવાર સાથે ખારવા ગામે રહે છે. મૂળ પરિવાર મોટા ઇટાળા ગામનો રહેવાસી છે.રચનાબેન તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે આશરે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી જામનગરની એ.કે. દોશી કોલેજમાં જવાનું કહીને નીકળી હતી. જોકે ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ આસપાસ તથા સગાસંબંધીઓમાં શોધખોળ કરવા છતાં તેનો પત્તો નહીં લાગતા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુમ નંબર ૦૫/૨૦૨૬ તથા ઓનલાઈન જાણવાજોગ નંબર ૧૪/૨૦૨૬ તરીકે નોંધ કરવામાં આવી છે. ગુમ થયેલી રચનાબેનની ઉંમર ૧૯ વર્ષ છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર તપાસ ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી. જાડેજા કરી રહ્યા છે.