જામનગરના તત્કાલીન પોલીસ અધિકારી સંજીવ ભટ્ટને જામજોધપુર અદાલતમાં હાજર કરાયા

0
3065

જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં સજા ભોગવી રહેલા જામનગરના તત્કાલીન પોલીસ અધિકારી સંજીવ ભટ્ટને જામજોધપુર અદાલતમાં હાજર કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ ડિસેમ્બર ર૫, જામજોધપુરના એક યુવાનને ૧૯૯૦ ની સાલમાં માર મારવાના અને કસ્ટોડિયલ ડેથ અંગેના કેસમાં જેલ સજા ભોગવી રહેલા જામનગર જિલ્લાના પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ, કે જે હાલ રાજકોટમાં જેલ સજા ભોગવી રહ્યા છે, જેને આજે પોલીસ જાપતા સાથે જામજોધપુર ની અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા.૧૯૯૦ ની સાલમાં જામજોધપુરના જ મહેશ દામજી પિત્રોડા નામના અન્ય એક યુવાનને તોફાન સમયે પોલીસ મથકે બોલાવી લાકડી વડે ઢોર માર મારવા અંગેના પ્રકરણમાં અન્ય એક કેસ ચાલી રહ્યો છે, જે અદાલતી કેસની કાનૂની કાર્યવાહી અદાલતમાં આજે હાથ ધરાઈ હતી, જેમાં સંજીવ ભટ્ટને આરોપી ગણવામાં આવ્યા છે, અને તેઓને આજે પોલીસ જાપતા હેઠળ રાજકોટની જેલમાંથી જામજોધપુર લાવવામાં આવ્યા છે, અને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં આગળની સુનાવણી થઈ રહી છે.