જામનગરના રામેશ્વરનગરમાં બંધ મકાનમાં તિવ્ર દુર્ગંધ , પાડોશીએ પોલીસ બોલાવી : યુવતિનો લટકતા મૃતદેહથી ચક્ચાર

0
10541

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતી એક યુવતીનો કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ ઓગસ્ટ ૨૫, જામનગરમાં રામેશ્વર નગર નજીક શક્તિ પાર્ક સોસાયટી શેરી નંબર એક માં રહેતી ભૂમિબેન અરવિંદભાઈ મકવાણા નામની ૨૧ વર્ષની યુવતીએ પોતાના ઘેર પંખા ના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આસપાસના વિસ્તારમાં એકદમ તીવ્ર દુર્ગંધ આવતાં પાડોશીઓએ મકાનમાં નજર કરીને જોયું ત્યારે યુવતિનો મૃતદેહ લટકતો હતો, અને તીવ્ર દુર્ગંધ મારી રહ્યો હતો, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.સીટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. ડી.જી. રાજ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણીએ કયા સંજોગોમાં આ પગલું ભરી લીધું તે જાણવા માટે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. જેણે થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેણીનું છૂટટુ પણ થઈ ગયું હતું, અને એકલી રહેતી હતી. બે થી ત્રણ દિવસ પહેલા તેણીએ આત્મહત્યા કરી લીધી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.