જામનગરના વોર્ડ નંબર -૨ ના મચ્છર નગર વિસ્તારમાં ‘મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’ નું ખાતમુહૂર્ત

0
1272

લાઈબ્રેરી એ માત્ર પુસ્તકોથી ભરેલો ખંડ નથી, પરંતુ જ્ઞાન પ્રાપ્તિનો દ્વાર છે : ધારાસભ્ય રિવાબા જાડેજા

  • જામનગર મહાનગરપાલિકા ના વોર્ડ નંબર -૨ માં મચ્છર નગર વિસ્તારમાં ‘મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’ નું ખાતમુહૂર્ત

  • જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જાડેજાની ગ્રાન્ટ માંથી રૂપિયા ૩૦ લાખના ખર્ચે લાઇબ્રેરીનું થશે નિર્માણ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧, ઓગસ્ટ ૨૫ જામનગર ના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓ પોતાના મત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પણ ચિંતિત છે, અને ખાસ કરીને પરીક્ષાલક્ષી અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વાંચનનું સ્થળ મળી રહે, તેવા ઉદ્દેશ્યથી વોર્ડ નંબર -૨ માં નવા અને અત્યાધુનિક તમામ સુવિધાઓથી સુસજ્જ પુસ્તકાલય બનાવવા માટેની યોજના ઘડી કાઢી હતી, અને તેના અનુસંધાને ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૩૦ લાખના ખર્ચે નવા પુસ્તકાલય નું નિર્માણ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે.જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના વોર્ડ ૦ર માં કોમ્પિટિટિવ પરીક્ષા(સરકારી)ની તૈયારી કરતા વિધાર્થીઓ અને નાગરિકોને વાંચન માટે પુસ્તકો તેમજ યોગ્ય સ્થળ મળી રહે, એ હેતુ થી ધારાસભ્ય રિવાબા જાડેજાની ગ્રાન્ટ માંથી આશરે રૂપિયા ૩૦ લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજજ એર કન્ડિશનની સુવીધા સહિતના મહારાણા પ્રતાપ પુસ્તકાલય નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત મંગળવાર તારીખ ૧૨.૮.૨૦૨૫ ના સાંજે પાંચ કલાકે વોર્ડ નંબર બે માં મચ્છર નગર વિસ્તારમાં રાખવામાં આવ્યું છે. જે ખાતમુહૂર્ત ના પ્રસંગમાં ઉત્તર વિધાનસભા વિસ્તાર ના સર્વે નાગરિકોએ પસ્થિત રહેવા ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અનુરોધ કરાયો છે.