જામનગરમાં મોચી યુવાનનું ટ્રેન હડફેટે ચડી જતાં કરુણ મૃત્યુ

0
3659

જામનગરમાં મુરલીધર સોસાયટીમાં રહેતા એક મોચી યુવાન નું ટ્રેન હડફેટે ચડી જતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ ઓગસ્ટ ૨૫, જામનગરમાં મુરલીધર સોસાયટી વિસ્તારમાં ચંદ્ર સરોવર એપાર્ટમેન્ટમાં રહેતો હસમુખ ભીખાભાઈ ઝાલા નામનો ૩૭ વર્ષનો મોચી યુવાન ગઈકાલે રાત્રિના દસ વાગ્યા ના સુમારે સમર્પણ રોડ પર જકાતનાકા પાસે આવેલી રેલવે ફાટક નજીકના પાટા ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન ટ્રેન આવી જતાં પોતે ટ્રેનની હડફેટે ચડી ગયો હતો, અને માથા અને મોઢા નો ભાગ છૂંદાઈ જતાં ગંભીર ઇજા થવાથી ઘટનાના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે સત્યમ કોલોની માં રહેતા હિતેશભાઈ નાગજીભાઈ સાવલિયાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.