જામનગરની સરકારી હોસ્પિટલ માં સરકારી નાણાં ની ઉચાપત કરવા અંગેનું ચર્ચાસ્પદ પ્રકરણ
-
ચોથા વર્ગના કર્મચારી ઉપર ઉચાપાત અંગે ની ફરિયાદ માં ઉચ્ચ અધિકારીઓ સામે પણ તપાસ જરૂરી
-
આઉટસોર્સિંગ એજન્સી ની ભૂંડી ભૂમિકા સીવાય આટલુ મોટુ કાંડ શક્ય નથી : અનીલ બાબરીયા
-
ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩, ઓગસ્ટ ૨૫ જામનગર ની સરકારી ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ના વર્ગ – ૪ ના કર્મચારી ઉપર ઉચ્ચાપતની ફરિયાદ કરવા માં આવી છે. જ્યારે પણ ઉચાપત થાય ત્યાર માત્ર નાના કર્મચારી સામે જ ફરિયાદ કરવામાં આવે છે. જ્યારે મોટા અધિકારીઓ સામે ફરિયાદો થતી નથી. હકીકતે ઉપરી અધિકારીની સહી વગર કોઈપણ બિલ ની ચુકવણી થતી નથી , તો આવા અધિકારીઓને શા માટે બચાવવામાં આવે છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળ જામનગર જિલ્લા યુનિટ ના પ્રમુખ અનિલ બાબરીયાએ રાજ્યના મુખ્યમંત્રી ને વિસ્તૃત પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે , જામનગર ની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે વર્ગ – ૪ ના કર્મચારી ઉપર ખોટો પગાર ચડાવી ઉચ્ચાપત કરવાની ફરિયાદ જામનગરની ગુરુ ગોવિંદસિંધ સરકારી હોસ્પિટલ ના અધિકારી, મેડીકલ ઓફિસર દ્વારા કરવામાં આવી છે અને હાલ પોલીસ તપાસ ચાલુ છે.
આ અગાઉ પણ આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા ગુરુ ગોવિંદસિંધ સરકારી હોસ્પિટલમાં ઉચ્ચાપાત થયેલ હતી, અને તેમની વિરુધ ફરિયાદ કરવામાં આવી હતી. આવા અનેક કિસ્સા બનેલ છે .તેમાં ફક્ત એક તરફ અને વર્ગ – ૪ ના કર્મચારી ની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવે છે. આ ઉચ્ચાપત થયેલ છે, તે ઘણા લાંબા સમય થી ઉચ્ચાપત કરે છે તેવી ફરિયાદ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે .આ ઉચ્ચાપત આટલા સમય થી ચાલતી હોય અને અધિકારીઓ ને ખબર ના હોય તેવું બને ખરું ? પરંતુ જયારે આવા કૌભાંડો ખુલે ત્યારે નાના કર્મચારી ઉપર આંગળી ચિંધાઈ છે. અને ફરિયાદ કરી અને અધિકારીઓ આમાં છટકબારી કરી છુટ્ટી જાય છે. આવા ઉચ્ચાપત ના પ્રકરણ વારંવાર બનતા હોય છે તો શું અધિકારીઓ અજાણ હોય છે ? જયારે પણ કઈ ફરિયાદ કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે, અમે વિશ્વાસ થી સહી કરી દઈએ છીએ. પરંતુ આટલા મોટાસમય થી આ બનાવ બનતા હોય છે તે તેને ધ્યાન જ હોય છે અને અધિકારી પોતે પણ આમાં સંડોવાયેલા હોય છે .અને આમાં ભાગ બટાઈ માં સામેલ હોય છે. બધા જ બીલો માં અધિકારીઓ ની સહી આવે છે , અને પછી જ ટ્રેઝરી ઓફીસમાં જાય છે અને પછી જ પાસ થાય છે.
આ બધી તપાસવાની જવાબદારી અધિકારીની હોય છે. આઉટસોર્સિંગ એજન્સી સેનેટરી ઇન્સ્પેકટર તેમજ વહીવટી અધિકારી ને બીલ મુકે છે તે અધિકારી તપાસ કરી અને પછી જ બીલ માં સહીઓ કરે છે.તો શું આ બધા અધિકારીઓને ખબર વગર એમ જ સહી કરી નાખે છે ? આ બધા અધિકારીઓ જેમાં મેડીકલ ઓફિસર, વહીવટી અધિકારી તેમજ એકાઉન્ટ ઓફિસર આમાં સામેલ હોય છે અને આઉટસોર્સિંગ એજન્સી સાથે મળેલ હોય છે અને તેને બીલ પાસ કરવા માટે મોટી મોટી રકમ આપવામાં આવતી હોય છે. અને એજન્સી એ બીલ પાસ કરવવા માટે ના પૈસા પાસ કરવા માટે ખોટા આઉટસોર્સિંગ એજન્સી ઓ કર્મચારીઓના નામ બતાવે છે. અને આમ નાના કર્મચારીઓ ને સંડોવે છે .આમાં નાનો કર્મચારી ચિઠ્ઠી નો ચાકર હોય છે.
આજ દિવસ સુધી જયારે જયારે આવા બનાવ બનેલ છે તેમાં ફક્ત અને ફક્ત નાનો કર્મચારી ની જ સંડોવણી ખુલતી હોય છે. અને મોટા-મોટા મગરમચ્છો આમાં થી બાકાત રહી જતા હોય છે. ક્યારેય પણ પોલીસ દ્વારા કે ઉપર થી આવતી તપાસ દ્વારા અધિકારીઓ ની તપાસ કરવામાં આવતી નથી અને નાના કર્મચારીઓ ને જ ફસાવી દેવામાં આવે છે.
આ ઉચ્ચાપત માં મોટા માથાઓ અધિકારીઓ સામેલ છે, તેની તટસ્થ રીતે તપાસ થાય અને સત્ય બહાર લાવવામાં આવે તેવી અમારી કર્મચારી મહામંડળ જીલ્લા યુનિટ જામનગરની લાગણી અને માંગણી છે. આગામી સમય માં આ તપાસ કરવામાં નહિ આવે અને અધિકારીઓ ઉપર પગલા લેવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે .
આ બધા પ્રકરણ માં આઉટસોર્સિંગ એજન્સી ઓનો મોટો ફાળો છે. અને પોતાને કમાવવા માટે અન્ય ની બલી ચડાવવામાં આવે છે .આઉટસોર્સિંગ એજન્સીઓ ના કર્મચારી હોય અને તેની તમામ જવાબદારી આઉટસોર્સિંગ એજન્સી ની થાય છે. પરંતુ આની સાથે સાથે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ના મેડીકલ ઓફિસર, વહીવટી અધિકારી તેમજ એકાઉન્ટ ઓફિસર પણ સામેલ છે. જેથી આઉટસોર્સિંગ એજન્સી ને પોલીસ ફરિયાદ થી બચાવવાના પ્રયત્ન કરી ને સીધે સીધી પોલીસ ફરિયાદ કર્મચારી ઉપર કરવામાં આવે છે. જેથી તાકીદે પગલા લેવા જોઈએ.તેમ પણ અનિલભાઈ પી. બાબરિયા ( પ્રમુખ ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળ જીલ્લા યુનિટ જામનગર ) એ વધુ માં આ રજૂઆત માં જણાવાયું છે.


