જામનગર માં ABVP ના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરાયું

0
964

જામનગર માં ABVP ના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જુલાઈ ૨૫, જામનગર શહેર માં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકરો દ્વારા લાલ બંગલા વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અને કાર્યકરો દ્વારા સૂત્રોચારો સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઓડિશા રાજ્ય ના બાલેશ્વરમાં એબીવીપી ના કાર્યકર સૌમ્ય બિશી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી, જેણે પોતાના કોલેજના વિભાગીય વડા ની હેરાનગતિથી પરેશાન થઈ ને આ પગલું ભર્યું હતું

આથી જામનગર માં એબીવીપી ના કાર્યકરોએ ફરિયાદ ઉઠાવી હતી કે, દેશના યુવાનો સાથે થાય તેવી અન્યાયસભર ઘટના ઓ સામે તંત્ર મૌન રહેશે તો આવા કિસ્સાઓ ફરી ફરી બનશે. તેમણે તાત્કાલિક તપાસ કરી દોષિત વિરુદ્ધ કડક પગલા લેવા જોઈએ . આ માંગણી સાથે આજે જામનગર માં એબીવીપી ના આગેવાનો કાર્યકરો એ વિરોધ પ્રદર્શન કર્યું હતું.