જામનગરમાં નીલકમલ સોસાયટી માંથી અજ્ઞાત પુરુષનો મૃત્યદેહ સાંપડ્યો

0
1

જામનગરમાં નીલકમલ સોસાયટી માંથી અજ્ઞાત પુરુષનો મૃત્યદેહ સાંપડ્યો: પોલીસ દ્વારા ઓળખની કાર્યવાહી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦,મે ૨૫ જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે ૪૫ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.જે બનાવ અંગે ઉપરોક્ત વિસ્તારમાં વેપાર ધંધો કરતા મિલનભાઈ ધરમશીભાઈ વારોતરિયા એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના મહિલા પી.એસ.આઇ.એમ.વી દવે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને અજ્ઞાત પુરુષના મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયા બાદ મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકી રાખ્યો છે. જે અંગેની કોઈને જાણકારી હોય તો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.