જામનગરમાં ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણા પ્રદર્શન નો કાર્યક્રમ યોજાયો

0
741

અનામત વિરોધી કોંગ્રેસ સામે જામનગર માં ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન નો કાર્યક્રમ યોજાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૭ સપ્ટેમ્બર ૨૪, કોંગ્રેસ નેતા દ્વારા અનામત વિરોધી સ્ટેટમેન્ટ આપવામાં આવતાં જામનગર માં ભાજપ દ્વારા કોંગ્રેસ સામે ધરણા – પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .અને કોંગ્રેસ ના અનામત વિરોધી મનસુબા સફળ થવા દેવામાં નહી આવે તેમ ભાજપ દ્વારા જણાવાયું હતું.

કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી એ અમેરિકા માં જઈને અનામત વિરોધી માનસિકતા છતી કરી હતી. અને તેણે બંધારણનું અપમાન કર્યું હતું. તેમ જણાવી ભાજપ દ્વારા જામનગર શહેરના લાલ બંગલા સર્કલમાં આજે સાંજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને જણાવ્યું હતું કે એસ.સી , એસ ટી અને ઓબીસી ના અનામત રદ કરવા ના રાહુલ ગાંધી ના નાપાક ઇરાદા ભાજપ દ્વારા કામયાબ થવા દેવામાં આવશે નહીં.

આજના ધરના કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ , રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્ય સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર વિનોદ ખીમસુરીયા , ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેઘજીભાઈ ચાવડા , ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી નાં ચેરમેન નિલેશ કગથરા , નેતા આશિષ જોષી ,દંડક કેતન નાખવા ,.જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા , શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા શહેર અને જિલ્લા ભાજપ ના હોદ્દેદારો , કોર્પોરેટરો ,તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.