જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં ભાનુશાળી યુવક પર જૂની અદાવતના મનદુઃખ માં હુમલો : ૩ સામે ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦, મે ૨૫ જામનગરમાં સુમરા ચાલી નજીક ક્રિષ્ના સોસાયટીમાં રહેતા હાલારી ભાનુશાળી યુવાન પર જૂની અદાવત નું મન દુઃખ રાખીને હિંચકારો હુમલો કરાયો હતો, જે મામલે ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના સુમરા ચાલી નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા વિવેક ભરતભાઈ નંદા નામના હાલારી ભાનુશાળી યુવાન પર ગઈ રાત્રે જૂની અદાવતનો ખાર રાખીને હિંચકારો હુમલો કરાયો હતો. જે હુમલામાં ઘવાયેલા યુવાનને બેશુદ્ધ હાલતમાં જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડાયો હતો.
આ બનાવ બાદ સિટી એ. ડિવિઝન ની પોલીસ ટીમેં જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ ભાનમાં આવી ગયેલા વિવેક ભરતભાઈ નંદાની ફરિયાદના આધારે તેના ઉપર હુમલો કરનાર અક્રમ બ્લોચ, યુનિસ ગામેતી અને મનસુખ નામના તેમના સાગરીત સામે હુમલા ની ફરિયાદ નોંધાવી છે, અને ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.