જામનગર માં મહીલાની છેતરપિંડી નો ભોગ બનેલાઓ સિટી બી- ડિવિઝન પોલીસ નો સંપર્ક કરે

0
2

જામનગર માં મહીલા ની છેતરપિંડી નો ભોગ બનેલાઓ સિટી બી- ડિવિઝન પોલીસ નો સંપર્ક કરે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૫ મે ૨૫, જામનગર સીટી બી. ડિવીઝન પોલીસ મથકમાં છેતરપિંડી અંગે નો ગુન્હો દાખલ થયેલ હોય જેમાં ભોગબનનાર મંછબા જાડેજા એ પોતાની ફરીયાદ જાહેર કરી છે કે આરોપી ચાર્મીબેન ગજાનંદભાઇ વ્યાસ (રહે. પટેલ કોલોની શેરી નં-૦૪ ઓરચીડ એવન્યુ બી-૧૦૩ જામનગર) એ ફરીયાદી ને તથા કિરણબેન ને વીશ્વાસમા લઇ ઇલેક્ટ્રીક વસ્તુ ના કન્ટેનર ના જેમાં ટી.વી તથા એ.સી. ઓછા ભાવે મળે તેવા ધંધા માં નફો કમાવવા લોભામણી લાલચ આપી ફરીયાદી પાસે થી કટકે કટકે રોકડ તથા ગુગલ પે તથા ઓનલાઈન થી આરોપીએ રોકડા રૂપીયા તેમજ ઓનલાઈન પેમેન્ટ મેળવી લીધું હતું.ઉપરાંત કિરણબેન બારોટ પાસે થી રોકડ તથા ઓનલાઈન પેમેન્ટ થી રૂપીયા લઈ જઈ પૈસા પરત નહી આપી ફરીયાદી તથા અન્ય ભોગ બનનાર ને મુડી તથા નફાના ભાગના પૈસા પરત નહી આપી વિશ્વાસઘાત કર્યો હતો. જેના અનુસંધાને ગુન્હો દાખલ થયેલ હોવાથી અને તપાસ દરમ્યાન જાણવા મળી રહ્યું છે કે મહિલા આરોપીએ અન્ય લોકો પાસે થી ધંધાના નામે નાણા મેળવી નફો આપવાનુ કહી નાણા પરત નહી આપી ગુનાહીત વિશ્વાસઘાત કર્યા નુ જણાઇ આવે છે.જેથી જામનગર શહેર તથા આજુ બાજુ ના વિસ્તારના કોઈ નાગરીકો સાથે આરોપી ચાર્મીબેન ગજાનંદભાઇ વ્યાસ દ્વારા વિશ્વાસઘાત કર્યા નો બનાવ બનેલો હોય, તો જામનગર સીટી બી. ડિવીઝન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા પોલીસ દ્વારા જણાવાયું છે.