આજે જામનગરવાસીઓ પ્રભુ મહાવીર સ્વામીના 2619 માં જન્મ કલ્યાણકની ઊજવણી ઘરે રહીને કરશે.

0
379

આજે  જામનગરવાસીઓ મહાવીર જયંતિની ઘરે રહીને ઉજવણી કરશે.

આજે પ્રભુ મહાવીર સ્વામીના 2619 માં જન્મ કલ્યાણકની ઊજવણી થશે.

સમગ્ર વિશ્વને સુખ શાંતિ અને આરોગ્ય માટે અહિંસાનો ઉત્તમ માર્ગ પ્રદાન કરનાર મહાવીર સ્વામીની જન્મ જયંતીની ઉજવણી થશે.

હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે અને દરેકને આવા કપડાં કાળથી મુક્તિ જોઈએ છે અને મહાવીર સ્વામી ભગવાને કહ્યું હતું કે સમસ્ત જીવો અને પ્રકૃતિ ને તમે શાતા આપશો તો જ તમે તેને પામશો.

અનેક સંતો કહેતા આવ્યા છે કે સ્વાર્થ માટે વ્યાપક રીતે થતી જીવહિંસા અથવા થવા દેવાતી જીવહિંસા અંતે મહામારી નોતરે છે. તે સત્ય છે.

કતલખાનાથી માંડી વૃક્ષોની કત્લેઆમ નિર્દોષ મુક પ્રાણીઓ પ્રતિ ક્રૂરતા આચરનાર મનુષ્ય પાસે સત્તા સંપત્તિ ગમે તેટલી મેળવે તો પણ શાતા ( સ્વાસ્થ્ય સુખ ) નથી મળતી વિદેશમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે તેના કારણોમાં  દિનપ્રતિદિન વધતી જતી હિંસા છે.

પ્રભુ મહાવીર સ્વામીએ સમગ્ર માનવજાતને એક મંત્ર આપ્યો છે કે  પ્રકૃતિ જીવન રક્ષા નું મહત્વ  સમજો તો જ શાંતિ મળશે.